Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મંદિર ફરેતી કાંટાની વાડ દૂર કરવાની ના પાડતાં રાજેશભાઇ સાગઠીયા પર હુમલો

વણકર આધેડ હોસ્પિટલમાં દાખલઃ દિલીપ અને મયુરે ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૫: કોઠારીયાના દલિતવાસમાં રહેતાં અને ટ્રેકટરમાં મજૂરી કરતાં રાજેશભાઇ ભોજાભાઇ સાગઠીયા (ઉ.૪૮) નામના વણકર આધેડ ઘર નજીક સુમંગલમ્ પાર્ક પાસે આવેલા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા ત્યારે દિલીપ દુદાભાઇ વણકર અને મયુર શામજીભાઇ મકવાણાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.રાજેશભાઇના કહેવા મુજબ મંદિર આસપાસ કોઇ કૂદરતી હાજતે ન બેસે અને લઘુશંકા ન કરી જાય એ હેતુથી મેં કાંટાની વાડ બનાવીને રાખી છે. આજે દિલીપ, મયુર સહિતના જેસીબીથી પટ સાફ કરતાં હોઇ તેણે મંદિરને વાડને પણ ઢસડી લેતાં તેને વાડ નહિ તોડવા બાબતે સમજાવતાં હુમલો કર્યો હતો.

(4:55 pm IST)