Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રવિવારે રાજકોટ મચ્‍છુ કઠીયા સઈ સુતાર (દરજી)જ્ઞાતિના ૧૩માં સમુહલગ્નોત્‍સવ

છ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ ૧૫૦થી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટ,તા.૧૫: રાજકોટ મચ્‍છુ કઠીયા સઈસુતાર દરજી જ્ઞાતિનો યુવક મંડળ દ્વારા ૧૩મો સમુહલગ્ન તા.૧૮ના રવિવારના રોજ છ વર કન્‍યાઓ પ્રભુતામાં પગલા માંડશે. આ લગ્નમાં ૧૫૦ થી વધારે નાની- મોટી ઘર વપરાશની વસ્‍તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જ્ઞાતિના ટ્રસ્‍ટી હિમલાલ કેશવલાલ ચૌહાણ, મેનેંજીગ ટ્રસ્‍ટી વીનોદ, નાનાલાલા મકવાણા, ટ્રસ્‍ટી વિનોદકુમાર કેશવલાલ પીઠડીયા ટ્રસ્‍ટીઓ જોડાયા છે.

ટ્રસ્‍ટના પ્રમુખ દુર્લભજીભાઈ હીરજી વાઘેલા, ઉપપ્રમુખ,જસવંત જાદવ જાખરીયા, મંત્રી યોજ્ઞેશ મણીલાલ પીઠડીયા, સહમંત્રી હરિશભાઈ ભરત જાંબારી (પીઠડીયા), ખજાનચી રજતીકાન્‍ત સાંચલા, કારોબારી સભ્‍ય કિશોર ઘનજી જાદવ, ભરત તુલસીદાસ સોંલકી, ડો.નીલેશ પરશોતમ ગોહેલ, હિતેશ ગોપાલ પીઠડીયા, નિલેશ નયન જાબરીયા, નીતીન મુળજી ગોહેલ, મુકેશ મનસુખ ગોહેલ, નટુ બચુ પીઠડીયા, રવિકુમાર ધીરજલાલ ચૌહાણ સેવા આપી રહયા છે.

૧૮મીએ બપોરે ૧ વાગ્‍યાથી સામૈયુ લગ્નવિધી ચાલુ કરવામાં આવશે. સાંજે ૫ વાગ્‍યે વિદાય આપવામાં આવશે. અમૃત ફાર્મ પાર્ટી પ્‍લોટ ૫૦ ફુટનો રોડ, ડી-માર્ટ વાળી શેરી કુવાડવા રોડ ખાતે યોજાનાર છે

(4:08 pm IST)