Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૧પ જાન્યુઆરી-રાષ્ટ્રીય સેના દિન

આપણી સેના વિશ્વના ચોથા નંબરની તાકાતવાન સેના

રાજકોટ : આપણો દેશ ૧પ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે વિદેશી શાસનમાંથી આઝાદ થયો. પરંતુ તે વખતે દેશમાં બ્રીટીશ ભારતીય સેવા કાર્યરત હતી. સેનાનો કમાન્ડ બ્રીટીશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ રોય બુશરના હાથમાં હતો. ત્યારબાદ ૧પ જાન્યુઆરી ૧૯૪૯ ના દિવસે આપણી સેના પૂર્ણપણે આઝાદ થઇ અને ભારતીય સેનાની કમાન્ડ એક ભારતીયને સોપવામાં આવી. આપણા પહેલા કમાન્ડર-ઇન-ચીફ કે. એમ. કરિયપ્પા બન્યા. ત્યારથી ૧પ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય સેના દિવસ તરીકે ઉજવીએ છીએ.

ભારત શાંતિચાહક દેશ છે. પણ પોતાના વિસ્તાર કે વહીવટમાં દખલગીરી થાય તો સાંખી લેવા તૈયાર નથી શાંતિ જાળવી રાખવી હોય તો મજુબત અને શસ્ત્રસજજ સેના તૈયાર રાખવી પડે. ઉપરાંત દેશના આર્થિક વિકાસ, સમાજ સુધારણા, વૈજ્ઞાનિક સિદ્ધિઓ વગેરે માટે પણ મજબુત લશ્કર જોઇએ શસ્ત્રથી રક્ષિત રાજયમાં જ શાસ્ત્રાભ્યાસ થઇ શકે છે.તેવુ મહાભારત ગ્રંથમાં કહેવાય છે.

ભારતીય સેનાનો મુખ્ય ઉદ્ેશ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા અને અખંડીતતા સુનિશ્ચિત કરવી, રાષ્ટ્રને બહારના આક્રમણો તથા આંતરીક જોમખોથી બચાવવું અને આપણી સીમાઓ ઉપર શાંતિ અને સલામતી બનાવી રાખવાનો છે. ઉપરાંત દેશમાં કુદરતી આફતો સમયે તથા અન્ય આંતરીક અશાંતિ સમયે જાનમાલના બચાવ અભિયાનો પણ ચલાવે છે.

ભારતીય સેનાનો ઇતિહાસ ગૌરવવંતો અને જવલંત વિજયોથી ભરેલો છે આઝાદી વખતે ર લાખ સેનાકર્મીઓ ધરાવતી આપણી સેનામાં અત્યારે ૧૩.૬ર લાખથી વધુ સક્રિય સૈનિકો તથા ર૮.૪૪ લાખથી વઘુ રીઝર્વ ફોર્સ સહિત કુલ ૪ર.૦૭ લાખથી વધુ સૈનિકબળ છે. ઉપરાંત મીરાજ-ર૦૦૦, સસુખોઇ-એન/૩૦, મીગ, જેગુઆર જેવા ર૧૮પ યુદ્ધ વિમો, પ૯૦ ફાઇટર એરક્રાફટ, ર૯પ યુદ્ધ જહાજો જેમાં આઇએનએસ-વિક્રમાદિત્ય જેવા અત્યાધુનિક જહાજનો પણ સમાવેશ થાય છે. ૧પ પન્ડુબીઓ જેમાં આઇએનએસ. ચક્ર જેવી ઉચ્ચ ટેકનીકલ ધરાવતી પન્ડુબીનો સમાવેશ થાય છે. ૭ર૦ યુદ્ધ હેલીકોપ્ટર્સ, ૪૪ર૬ ટેન્કરો, ૬૪૦૪ બખ્તર ગાડીઓ, ૭૪૧૪-તોપો જેમાં ર૯૦ ઓટોમેટીક તોપ, ર૯ રોકેટ, પિનાક જેવા રોકેટ લોન્ચર, ઉપરાંત બ્રહ્મોસ, પૃથ્વી, આકાશ, અગ્ની, નાગ, સુર્યા જેવી સુપરસોનીક ક્રુઝ તથા ગાઇડેડ મીસાઇલો કે જેની રેન્જ ૧પ૦ કી.મી.થી ૧૬,૦૦૦ કી.મી.ની છે. કોર્ટોસ્ેટ અને રીસેકટ પ્રકારના રડાર, અત્યાધુનીક રાઇફલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

આપણી સેના પાકિસ્તાન સાથે ચાર યુદ્ધો તથા ચીન સાથે એક યુદ્ધ લડી ચુકેલ છે. ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ મૂખ્ય અભિયાનોમાં 'ઓપરેશન વિજય' 'ઓપરેશન મેઘદુત', 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર', 'ઓપરેશન કૈકટ્સ' વગેરે સામેલ છે. સંયુકત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પણ ભારતીય સેના સક્રિય ભાગીદાર રહી છે. આપણી સેના જળ, જમીન અને આકાશમાં યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે છે.

ભારીતય સેનાના વીરજવાનોનો ઇતિહાસ સંપૂર્ણ રાષ્ટ્રવાદ અને માભોમ પ્રતિ સમર્પણ ભાવથી તરબોર ભરેલો છે જીવને મુઠીમાં લઇ ટાઢ, તડકો, વરસાદ, કાદવ-કિચડ, બરફ અને કુદરતી તોફાનોની વચ્ચે પણ રાત-દિન અડીખમ રહી દેશ સેવા કાજે ફરજ બજાવતા આપણા વીરજવાનો આપણુ ગૌરવ છે અને ખરા અર્થમાં 'રીઅલ હીરો' છે.

ભારતીય સેના પ્રતિ દેશવાસીઓમાં સન્માન, આદરભાવ વધે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઇએ એજ સેના દિનની સાચી ઉજવણી હોય શકે.

જય હિન્દ

: સંકલન :

મનસુખ કાલરિયા

                મો.૯૪ર૬૯ ૯૪૪પ૦

            કોર્પોરેટર-રાજકોટ

(3:54 pm IST)