Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પરસાણાનગરમાં કુતરાઓનો અસહ્ય ત્રાસઃ ૧૦ થી ૧ર ને કરડયા

વિસ્તારની સમસ્યા દુર કરવા લોક માંગ

રાજકોટ તા. ૧૩ :.. શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ પરસાણાનગર વિસ્તારમાં કુતરાઓનો અસહ્ય ત્રાસ ફેલાયો છે.

આ અંગે આ વિસ્તારનાં જાગૃત નાગરીક બીપીનભાઇ વ્યાસે જણાવ્યું છે કે પરસાણાનગર શેરી નં. ૯ અને ૮ માં ચામુંડા સીઝન સ્ટોર પાસે છેલ્લા ઘણા સમયથી  કુતરાઓનો અસહ્ય ત્રાસ છે. આ સ્થળે ૧૦ થી ૧ર જેટલા લોકોને કુતરાઓ કરડી ગયાનાં બનાવો બનતા લોકોમાં ભય ફેલાયો છે.

આમ આ વિસ્તારમાંથી તાત્કાલીક કુતરાઓ પકડી આ સમસ્યા દુર કરવા લોક માંગ ઉઠી છે.

(3:48 pm IST)