Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બેભાન હાલતમાં કેશુભાઇ સોલંકી અને રસિકભાઇ બારૈયાના મોત

બંને સફાઇ કામદાર હતાં, એકે વીઆરએસ લીધુ હતું

રાજકોટ તા. ૧૫: ગોકુલધામ પાસે દ્વારકાધીશ સોસાયટી-૨માં રહેતાં કેશુભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.૫૫) નામના વાલ્મિકી પ્રોૈઢને શ્વાસ ચડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેઓ વોર્ડ નં. ૧૨માં સફાઇ કામદાર હતાં. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જામનગર રોડ પર પરસાણાનગર-૬/૭માં રહેતાં રસિકભાઇ ભીખાભાઇ બારૈયા (ઉ.૫૩) નામના વાલ્મિકી પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તે પણ સફાઇ કામદાર હતાં અને થોડા સમય પહેલા વીઆરએસ લીધુ હતું. બનાવથી બંનેના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

(3:47 pm IST)