Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સામા કાંઠે ભોજલરામ સોસાયટીના જયસુખભાઇ પટેલનું તાવથી મોત

રાજકોટ તા. ૧૫: સામા કાંઠાના પટેલ આધેડનું તાવથી મોત નિપજ્યું છે.સંત કબીર રોડ પર ભોજલરામ સોસાયટીમાં રહેતાં જયસુખભાઇ મનજીભાઇ લાખાણી (ઉ.૪૫) નામના લેઉવા પટેલ આધેડને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું. ગત રાત્રે તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. બી-િ૯વીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં ગુંદાવાડીના દિવાળીબેન પટેલનું મોત

ગુંદાવાડી-૧૧ના ખુણે સંસ્કારધામમાં રહેતાં દિવાળીબેન બાબુભાઇ વસોયા (ઉ.૬૨)ને કિડની લિવરની બિમારી હોઇ બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં સાત પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:31 pm IST)