Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હંસરાજનગરમાં મગજની બીમારીથી કંટાળી ચંદ્રેશભાઇ કેશવાણીનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૧પ :. હંસરાજનગરમાં રહેતા સિંધી યુવાને મગજની બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ હંસરાજનગર શેરી નં. ૩ માં રહેતા અને હંસરાજનગર મેઇન રોડ પર પાન અને ઠંડા પીણાની દુકાન ચલાવતા ચંદ્રેશભાઇ દેવદાસભાઇ કેશવાણી (ઉ.૩૮) એ ગઇકાલે પોતાના ઘરે હતાં. ત્યારે તેણે ઝેરી દવા પી લેતા સારવાર માટે  સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.ત્યાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક ચંદ્રેશભાઇ બે ભાઇમાં નાના હતાં. તેને છેલ્લા બે વર્ષથી મગજની બીમારી હોઇ તેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ સારૂ ન થતા કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કદાવલા તથા રાઇટર બાબુભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:28 pm IST)