Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાળીને પત્ની અને માસુમ પુત્રીની હાજરીમાં પોલીસ કોન્સ્ટેબલે તેના સાગરીતને બોલાવી માર માર્યો

વાણિયાવાડીમાં જલજીત હોલ પાસે બનાવ :નજીવી બાબતે કોન્સ્ટેબલે તેના નામચીન સાગરીતને બોલાવી ચિરાગને માર મારતા ફરિયાદની તજવીજ

રાજકોટ :ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ પટેલને નજીવી બાબતે પોલીસ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી થતા પોલીસ કોન્સ્ટેબલે તેન સાગરીતને બોલાવી ચિરાગ પટેલને માર મારતા અંગે પોલીસ તપાસની તજવીજ હાથ ધરાઈ છે

  અંગે મળતી વિગત મુજબ શહેરના વાણીયા વાડી પાસે આવેલ જલજીત હોલ પાસે  ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાણી ને માસુમ પુત્રી અને પત્નીની નજર સમક્ષ પોલીસ કોન્સ્ટેબલ અને સાગરીતે  માર માર્યો હતો

  વધુમાં જાણવા મળ્યા મુજબ પીધેલી હાલત માં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે મલાવીયા નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે અજય બોરીચા નામના તેના સાગરીતને બોલવી ચિરાગ પટેલની ધોલાઈ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો

  ચર્ચાતી નામચીનઅજય બોરીચા પર અગાઉ પણ અનેક પોલીસ કેસ થઇ ચુક્યા છે હાલમાં સમગ્ર મામલે ખોડલ ધામ ના ટ્રસ્ટી દ્વારા ઉચ્ચ લેવલે ફોન ધણ ધણીયા બાદ પોલીસ ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે

(11:42 pm IST)