Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લોકરક્ષકદળની પરીક્ષામાં માલધારીઓને અન્યાય : સુરેન્દ્રનગરમાં ધરણા કરતા રણજીત મુંધવા સહિતનાં આગેવાનો

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા લોક રક્ષક દળની પરીક્ષામા માલધારી સમાજના રબારી ભરવાડ ચારણ સમાજના ઉમેદવારો ને અન્યાય સામે માલધારી સમાજનો ગુજરાતભરમાં વિરોધ છે. માલધારી સમાજ પાસે આદિજાતીનું પ્રમાણપત્ર હોવા છતાં લોકરક્ષક દળની પરીક્ષા આ સમાજને બાકાત રાખી હળાહળ અન્યાય થતાં આજે સુરેન્દ્રનગર ખાતે ધરણા-ઉપવાસ આંદોલન થયેલ જેમાં સતીષ ગમારા ચંદુભાઇ રબારી પોપટભાઇ ગમારા નાનુભાઇ રબારી રસીકભાઇ રબારી અરજણભાઇ રબારી સરપંચ રાહુલભાઇ જેકે આલ જીડ રેવાભાઇ ગમારા ગભરૂભાઇ ધાંધલ રાજકોટનાં રણજીત મુધવા કરણ ગમારા રામભાઇ ખીટ મોટી સંખ્યા સહિતના માલધારી આગેવાનો જોડાયા હતા.

(4:05 pm IST)