Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની સગીરાને મયુર જોગીયા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા. ૧૪ : આજીડેમ પાસે સાંઢીયા પુલ પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જામનગરનો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી સગીરા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા જામનગર નવાગામ ઘેડ ગાયત્રી ચોકની બાજુમાં રહેતો મયુર કિશોરભાઇ જોગીયા નામનો શખ્સ દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનોએ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ એ.એસ. ચાવડાએ તપાસ આદરી હતી.

(4:01 pm IST)