Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વધુ ૩ રેસ્ટોરન્ટના રસોડામાંથી નો એન્ટ્રીના બોર્ડ હટાવ્યા

રાજકોટઃ રાજય સરકારના કાયદા મુજબ હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં મનાઇ ફરમાવતા નો એન્ટ્રીના બોર્ડ દુર કરવાની કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હાથ ધરી હતી તે વખતની તસ્વીર. આજે નાના મૌવા રોડ ઉપરના પીપલ્સ ઓફ પંજાબ, માધવ રેસ્ટોરેન્ટના રસોડા ઉપરથી નો એન્ટ્રીના બોર્ડ દુર કરાયેલ અને ચંદ્રેશનગર મેઇન રોડ પરના સ્વાતી રેસ્ટોરન્ટના રસોડાની બારી ઉપર લગાવેલા સ્ટીકરો દુર કરાવી ગ્રાહકોને રસોડુ દેખાય તેવી વ્યવસ્થા કરાવી હતી.

(4:40 pm IST)