Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

આર્યનગરના પટેલ જયંતિભાઇ ભંડેરીએ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૪: સંત કબીર રોડ પર આર્યનગર-૧માં રહેતાં જયંતિભાઇ જીવરાજભાઇ ભંડેરી (લેઉવા પટેલ) (ઉઉવ.૫૭) રાતે નવેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ જે. આર. સરવૈયા અને મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર દરજીકામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.

(1:43 pm IST)