Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પ્રવિણચંદ્ર કોટકના ચાર પૌત્રોને યજ્ઞોપવિત સંસ્‍કારઃ શ્રીનાથજીની ઝાંખી

ચિ. ચિંતન-ચિ. ભવ્‍ય - ચિ.દેવ-ચિ.કાવ્‍ય

રાજકોટઃ તા.૧૪, રાજકોટના જાણીતા એસ્‍ટેટ કનસ્‍લટન્‍ટ શ્રી પ્રવિણચંદ્ર વાઘજીભાઇ તથા શ્રીમતી ચંદનબેન પ્રવિણભાઇ કોટકના લાડકવાયા પૌત્રો ચિ. ચિંતન, ચિ. ભવ્‍ય, ચિ.દેવ તથા ચિ.કાવ્‍યને યજ્ઞોપવિત સંસ્‍કારનો કાર્યક્રમ કલ્‍યાણ પાર્ટી પ્‍લોટ ખાતે રવિવાર તા.૧૭ના શુભદિને નિર્ધારેલ છે.

ઉપરાંત શનિવાર તા.૧૬ના રોજ રાત્રે ૮ કલાકે ભાગવતા ચાર્ય પૂ. શાષાી શ્રી ભાવેશભાઇ પંડયાની નિશ્રામાં ‘‘શ્રીનાથજીની આઠે સમાની ઝાંખી''નો કાર્યક્રમ નિમંત્રીત મહેમાનો માટે રાખેલ છે. સમગ્ર કાર્યક્રમોનું આયોજન શ્રી પ્રવિણભાઇ કોટકના માર્ગદર્શન હેઠળ તેમના પુત્રો શ્રી હરેશભાઇ, શ્રી ભાવેશભાઇ, શ્રી દિપેશભાઇ અને શ્રી દર્શીતભાઇ સંભાળી રહેલ છે.

અ.સૌ. સોનલબહેન, અ.સૌ સુચિતાબહેન, અ.સૌ. મિતીબેન અને અ.સૌ. ભાવિકાબેન મહેમાનોને આવકારશે. ચિ. કેયુર તથા ચિ. શ્વેતાએ મીઠો ટહુકો કરેલ છે. (મો.૯૮૭૯૪ ૮૦૩૦૦)

(1:38 pm IST)