Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્નેહ મિલન યોજાયું

 રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે દિપાવલી પર્વ બાદ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ શ્રીમતિ નિલાંબરીબેન દવે એ નવા વિક્રમ સંવત વર્ષ દરેક કર્મચારી પરીવાર માટે ખુશીઓનો વરસાદ લાવે તેવી શુભેચ્છા પાઠવી નવા વર્ષમાં યુની. વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો સાથે ભારતની શ્રેષ્ઠ યુનિ.માં સ્થાન પામે તે માટે યુનિ. પરીવારને આહવાહન કરેલી હતું. નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્ય ભાવિન કોઠારી, ગીરીશભાઇ ભિમાણી, હરદેવસિંહ જાડેજા, ડો. વિજય દેશાણી, વિમલભાઇ પરમાર, ડો. વિજયભાઇ ભટાસણા સાથે રજી. ધિરેન પંડયા, રમેશ પરમાર, મનિષ ધામેચા, નયનભાઇ જોબનપુત્રા, નિલેશ સોની, અમિત પારેખ, લીનાબેન ગાંધી, જે. આર. પંડયા, કે. એન. ખેર, જે. એમ. મામતોરા, જેવી સેરશીયા, જય ટેવાણી વિરલભાઇ પરમાર સહિતના તમામ કર્મચારી પરીવાર ઉપસ્થિત રહેલ તે નજરે પડે છે.

(3:41 pm IST)