Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગુરૂદેવના જન્મદિન નિમિતે સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 પૂ. ગુરૂદેવની જન્મ જયંતિ નિમિતે મુકતાબેન છગનલાલ વસાણી તથા ભગવાનજીભાઇ છગનલાલ વસાણી તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહીન બનાવવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી પેલો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાય જતા ૧૬૭ દર્દી ભગવાનને ગુરૂદ્રષ્ટી પ્રાપ્ત કરી હતી. આ કેમ્પમાં પ્રવિણભાઇ વસાણી, ભરતભાઇ વસાણી, સુરેશભાઇ વસાણી, ભાવેશભાઇ વસાણી, નિશાંતભાઇ વસાણી, તનિષ્કભાઇ વસાણી, પ્રફુલ્લાબેન વસાણી, ઇલાબેન વસાણી, જોષનાબેન વસાણી, રૂપાબેન વસાણી, ફાલગુનીબેન વસાણી, મીરાબેન વસાણી વગેરેએ ઉપસ્થિત રહી સદ્દગુરૂદેવનું પૂજન કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીંપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવેલ. ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયુ હતુ.

(3:41 pm IST)