Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૯૩ કિલો ઇમીટેશનનો ચોરાઉમાલ રાખનાર અનીલ ચાવડા પણ ઝડપાયો

રાજકોટ તા ૧૪ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી બી ડીવીઝન મથકનાપી.આઇ. આર.એસ. ઠાકર, પી.એસ.આઇ. એમ.એફ. ડામોર, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એમ.બી. જાડેજા, હેડ કોન્સ. વિરમભાઇ, મનોજભાઇ, ફીરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ, કિરણભાઇ, કેતનભાઇ, હરપાલસિંહ, સોકતભાઇ તથા અમીતભાઇ સહિતે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવશકિત ચેમ્બર્સમાં આવેલ ઇમીટેશનના કારખાનામાંથયેલી ચોરીમાં ૯૩ કિલો ઇમીટેશનનો પિતળનો ચોરાઉ માલ રાખવાના ગુનામાં અનીલ વાઘા ચાવડા (રહે. બજરંગ પાર્ક-ર મોરબી રોડ) ને પકડી લીધો છે.

(3:39 pm IST)