Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સમગ્ર રાજકોટના શ્રાવક/શ્રાવિકાઓને આપેલ જ્ઞાનની પરીક્ષાનું રવિવારે ઇનામ વિતરણ

જાગનાથ શ્વે.મૂ.પૂ. સંઘના આંગણે ''ચંદ્ર-જયોત'' પાઠશાળાના ઉપક્રમે લેવાયેલ : પ.પૂ. આ.દે. શ્રી મદ્ વિજય યશોવિજયસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રા

 રાજકોટઃ તા. ૧૪ આગામી તા.૧૮ને રવિવારના રોજ પ.પૂ. આ દેવ શ્રીમદ્ વિજય યશોસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સવારે ૯ થી ૧૨ શ્રી ''ચંદ્ર- જયોત'' પાઠશાળાના ઉપક્રમે લેવાયેલ સમગ્ર રાજકોટના શ્રાવિક/શ્રાવિકાઓએ આપેલ જ્ઞાનની પરીક્ષાનું ઇનામી મેળાવડો રાખવામાં આવેલ છે.

 લગભગ ૨૦૦ થી ૨૫૦ શ્રાવક/ શ્રાવિકાઓએ જ્ઞાનની પરીક્ષા આપેલ છે. તમામ પરીક્ષાઓથીઓને સમયસર હાજર રહેવુ, વિશિષ્ટ ઇનામ તથા સર્ટીફીકેટ શ્રી જાગનાથ સંઘ તરફથી અર્પણ કરવામાં આવશે.

 આ પ્રસંગે જે. એમ. શાહ ચંદ્રકાંતભાઇ મહેતા, રમણીકભાઇ મહેતા તથા ચંદ્રકાંતભાઇ હિમતલાલ શાહ તથા શ્રાવીકા બહેનોમાં ભાવિ દિક્ષાર્થી હંસાબેન તથા ચાંદનીબેનના શુભ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે.

ઇનામ વિતરણ પુર્ણ થયા બાદ તમામ આમંત્રીત મહેમાને તથા પરીક્ષાર્થીઓ માટે સાધર્મીક ભકિત રાખેલ છે.

તમામ પરીક્ષાર્થીઓએ તેમના ઇનામ મેળવેલ પોતેજ હાજર રહેવાનુ છે. શ્રી જાગનાથ સંઘ ટ્રસ્ટીમંડળ કાર્યરત છે. તેમ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદીમાં જણાવેલ છે.

(2:38 pm IST)