Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

નંદાણી સોનપાલ પરિવાર દ્વારા હડીયાણા ખાતે ૧૮ નવેમ્બરે નવચંડી યજ્ઞનું આયોજન

યજ્ઞના યજમાનપદે ભરતભાઈ નંદાણીઃ રાજકોટથી બસ વ્યવસ્થા

રાજકોટઃ નંદાણી સોનપાલ પરિવાર દ્વારા માફકત આ વર્ષે પણ નવેમ્બરમાં દેવસ્થાન હડીયાણા ખાતે નવચંડી યજ્ઞ  રવિવાર, તા.૧૮/૧૧ના યોજાએલ છે. યજ્ઞ શુભ મુહર્ત તા.૧૮/૧૧ સવારે ૮ કલાકે, બપોરે ૧:૩૦ કલાકે બીડુ હોમાશે. ત્યારબાદ બપોરે બે વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે. યજ્ઞના યજમાન પદે ભરતભાઈ ધીરજભાઈ નંદાણી (રાજકોટ) રહેશે. પ્રતીવર્ષ માફક બસ વ્યવસ્થાનું આયોજન, એસ્ટ્રોન ચોક રાજકોટ ખાતેથી સવારે ૬:૧૫ કલાકે છે. બસ માટે નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે સર્વેશ્રી ભરતભાઈ ધીરજભાઈ નંદાણી (મો.૯૯૨૪૨ ૩૪૦૭૬), શાન્તનુભાઈ સોનપાલ (મો.૯૯૯૮૧ ૦૦૦૮૧), અજીતભાઈ કે.નંદાણી (મો.૯૯૨૪૭ ૯૧૯૭૦), ચંદ્રેશભાઈ કે.નંદાણી (મો.૮૧૬૦૫ ૨૩૮૫૪)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(12:03 pm IST)