Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પત્નિ સાથેની ચડભડને લીધે રીબડા ટોલનાકે કેતનભાઇએ ફિનાઇલ પીધું

રાજકોટના બ્રાહ્મણ પ્રોૈઢ ટોલનાકામાં કામ કરે છે

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ પર પરશુરામ પાર્ક ગોકુલ બંગલા પાસે રહેતાં કેતનભાઇ કેશવલાલ થાનકી (ઉ.૫૦) નામના બ્રાહ્મણ પ્રોૈઢે રીબડાના ટોલનાકા પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

કેતનભાઇને હોસ્પિટલે ખસેડનારા મયુરસિંહ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કેતનભાઇ રીબડા ટોલનાકામાં કામ કરે છે. તેને પત્નિ સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી કંટાળીને તેણે રાતે નોકરી પુરી કર્યા બાદ ટોલનાકા પાસે જ ફિનાઇલ પી લેતાં અમે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં. ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રામજીભાઇએ પ્ર.નગરમાં એન્ટ્રી નોંધાવી હતી.

(1:22 pm IST)