Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

જર્જરીત રસ્તાઓના સમારકામ માટે ભાજપ-તંત્રને સદ્દબુધ્ધિ આપોઃ વોર્ડ નં. ૩ માં હવન

રાજકોટઃ શહેરના રોડ રસ્તામાંની જર્જરીત હાલત બાબતે નિંભર તંત્રને જગાડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તથા ભાજપને સદબુધ્ધી ભગવાન આપે એવા આશ્રયથી એક હવનનું આયોજન કરવામાં આવેલ હતું જે હવન વોર્ડ નં.-૩ પ્રમુખ શ્રી ગૌરવ પુજારા, વોર્ડ નં.-૩ કોર્પોરેટરશ્રી અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણીની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો લતાવાસીઓ હાજર રહેલ આ હવનને સફળ બનાવવા આગેવાનોશ્રી નાનુભાઇ આહીર, હિતેશભાઇ બગડાઇ, મીલનભાઇ રાઠોડ, નીલેશભાઇ, યોગેશભાઇ માખેચા, વેગડાભાઇ, ગુંજન મહેતા, જયેન્દ્રસિંહ ઝાલા (લાલાભાઇ), ઠાકુરભાઇ ખાનચંદાણી, પ્રકાશભાઇ અડવાણી, યોગેન્દ્રસિંહ ઝાલા (યોગીભાઇ) ની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લતાવાસીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ તે વેળાની તસ્વીર.

(3:38 pm IST)