Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અનેકતા મે એકતા...

સદર જામા મસ્જીદની સબીલ અને ગણેશ સ્થાપન

રાજકોટઃ આપણો દેશ ભારત વિવિધતામાં એકતાનું પ્રતિક છે. સર્વધર્મ સમભાવની માનયતા બળવત્તર છે. વર્તમાનમાં કોમ-કોમ, જ્ઞાતિ-જાતી, ધર્મ-વિધર્મના તાંતણામાં પ્રજાને અટકાવી નાખવા રાજકીય પ્રક્ષો સતત સક્રિય હોય છે છતાં આપણા સહિષ્ણુ લોકોમાં જ્ઞાતિ-જાતીનુ આ ઝેર હજુ એટલી હદે અસરકર્તા બન્યું નથી. ઉપરોકત તસ્વીર સદરની જામા મસ્જીદની છે. આ સ્થળે મહોરમની સબીલ અને ગણેશોત્સવનું સ્થાપન બાજુ-બાજુમાં થાય છે. સદરના ધોબીવાડમાં હિન્દુ-મુસ્લીમ એકતા વરસોથી અકબંધ બની રહી છે. બન્ને કોમના લોકો રંગે ચંગે પોતપોતાના તહેવારોની હળી મળીને ઉજવણી કરે છે.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(4:07 pm IST)