Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મોરબી રોડ પરની ૧૭ વર્ષની સગીરાને અર્જુન ભગાડી ગયો

સગીરાના પિતાની ફરિયાદઃ અર્જુન સામે અપહરણનો ગુનો

રાજકોટ તા.૧૪: મોરબી રોડ વેલનાથ ફાટક પાસે રહેતી સગીરાનું પાડોશમાં રહેતો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ વેલનાથ ફાટક પાસે રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે 'પાણી ભરવા જાવુ છુ' તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી તપાસ કરતા પાડોશમાં રહેતો અર્જુન સુનીલભાઇ નામનો શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પિતાએ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.એસ. ઠાકર તથા જગેન્દ્રસિંશે તપાસ આદરી છે.

(3:34 pm IST)