Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

છ વર્ષની માસુમ બાળકી નેન્સીની હત્યાનો ભેદ ઉકેલવા તરફ પોલીસને મહત્વની કડી મળી : પરિવારની વ્યક્તિ જ શંકાના પરિઘમાં

ડાકણ જેવી અંધશ્રદ્ધા માસુમ બાળકીની હત્યામાં કારણભૂત બની હોય તેવી શકયતા

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઈટ પરથી ગઈકાલે મજૂરી કરતા પરિવારની છ વર્ષનું માસુમ બાળકી નેન્સી સાઈટ ઉપરથી ગૂમ થયા બાદ ગળું કાપીને હત્યા કરાયેલ મૃતદેહ આજે મળ્યો હતો આ બારામાં ડીસીપી મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન  હેઠળ તાલુકા પોલીસ  સ્ટેશનના પી.આઈ. જે.વી.ધોળા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે

દરમિયાન આ ઘટનામાં પરિવારની જ કોઈ વ્યક્તિ ઘાતકી થયાની અને ડાકણ જવી અંધ શ્રદ્ધા માસુમ બાળકીની હત્યા પાછળ કારણભૂત બની હોય તો નવાઈ નહીં   આંગળિયાત પુત્રીની  હત્યાથી આદિવાસી પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો પરિવારના ની એક વ્યક્તિની સઘન પુછરપછ ચાલી રહી છે

(2:28 pm IST)