Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રીમઝીમ ગીરે સાવન... કિશોરદા સ્પેશ્યલ કાર્યક્રમ

સૂરમંદિર દ્વારા રવિવારે કિશોરકુમાર સ્પેશ્યલ કાર્યક્રમ : મુંબઈના નયન રાઠોડ, ઘનશ્યામ રાવલ, અશ્વિની મહેતા શ્રોતાઓને રસતરબોળ કરશે

રાજકોટ, તા. ૧૪ : જાણીતી કલાસંસ્થા સૂરમંદિર દ્વારા આગામી તા.૧૯ના રવિવારના રોજ રાત્રીના ૯:૩૦ કલાકે હેમુગઢવી નાટ્યગૃહ ખાતે આ વર્ષનો ચોથો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ કિશોરકુમાર સ્પેશ્યલ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કે ફોર કિશોર ફેઈમ ગાયક કલાકાર નયન રાઠોડ (મુંબઈ) રાજકોટના કલારસીક શ્રોતાઓને રસતરબોળ કરશે. અગાઉ બે વખત નયન રાઠોડે સૂરમંદિરમાં પોતાની કલા રજૂ કરી ચૂકયા છે. નયન રાઠોડ બોલીવૂડના અનેક નામી કલાકારો સંગીતકારો સાથે પોતાનો કાર્યક્રમ આપી ચૂકયા છે. રાજકોટમાં સૂરમંદિર થકી જ પ્રથમ વખત રજૂ થયા હતા. સાથમાં સ્વર કિન્નરી અશ્વિની મહેતા (રાજકોટ) સાથ આપશે.

ઓરકેસ્ટ્રામાં તુષાર ગોસાઈ, હિતેશ મહેતા, દિલીપ ત્રિવેદી, કિરીટ નિમ્બાર્ક, જુલીયસ, મિતુલ ગોસાઈ તથા પ્રકાશ વાગડીયા સાથ આપશે. કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામ રાવલ કરશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પેરેમાઉન્ટ સાઉન્ડ દ્વારા સુનિલ પટેલ પૂરી પાડશે.

કાર્યક્રમના મહેમાનો તરીકે ઈશ્વરભાઈ વાઘેલા (ગોડસન બેન્ડીંગ), ડો. મુકેશ પોરવાલ (રેટીના હોસ્પિટલ), શિલ્પાબેન પૂજારા (કોમલ હેન્ડી ક્રાફટ્સ), સુનિલભાઈ શાહ (આર્કાડીયા શેર્સ) તથા જીતેન્દ્ર ઠકરાર (શિવ ડેવલોપર્સ) ઉપસ્થિત રહેશે.

સંસ્થાની મેમ્બરશીપ કે કાર્યક્રમની અન્ય વિગત માટે ઘનશ્યામ રાવલ ''મંગલમ્'' ૩૭, આરાધના સોસાયટી, શિવાનંદ ગાર્ડન સામે, એરપોર્ટ રોડ રાજકોટ ફોન ૨૪૪૪૪૪૧ (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:43 pm IST)