Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શિવધામ પરિસરમાં સાંજે બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા મહાઆરતી : કાલે ધ્વજવંદન

રાજકોટ : ગુજરાતમાં બીજી વખત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ''ટીમ ઈન્દ્રનીલ ફોર યુ'' તથા સર્વેસમાજ આયોજીત - સંકલિત - શિવધામ પરિસરમાં ''શિવ ઉત્સવ''નો દબદબાભેર તેજોમય ધાર્મિક ઉત્સવનો ભારે ઉત્સાહપૂર્વક પ્રારંભ થઈ ગયેલ છે અને શહેરના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ભારે સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલે સવારે વિવિધ જ્ઞાતિના યજમાનો દ્વારા મહાયજ્ઞ તથા સાંજે મહાઆરતી કાર્યક્રમ પવિત્ર વાતાવરણ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધમધમતો હતો. જેમાં શહેરભરના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તા.૧૩ની સાંજની મહાઆરતીમાં સાંજ સમાચારના કરણભાઈ શાહ તથા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કાતરીયા, તથા મહાન કથાકાર અશોકભાઈ ભટ્ટ મુખ્ય યજમાનપદે આરતીમાં સમાજના યજમાનપદે બ્રહ્મસમાજ, આહિર સમાજ, મેઘવાળ સમાજ, મહેશ્વરી સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનોએ આરતીનો લાભ લીધેલ. જેમાં બ્રહ્મસમાજના ધીરૂભાઈ મહેતા, યજ્ઞેશભાઈ દવે, શરદભાઈ રાજયગુરૂ, સતીશભાઈ તેરૈયા, અશોકભાઈ દવે, રસીકભાઈ ભટ્ટ, બીપીનભાઈ દવે, મનોજભાઈ શુકલ, સમીરભાઈ ત્રિવેદી, મનોજભાઈ જોષી, તેમજ આહિર સમાજના ભાવેશભાઈ બોરીચા, રામભાઈ બોરીચા, ભરતભાઈ શિયાળ, વિભાભાઈ આહિર, સુરેશભાઈ ગેરૈયા, રસીલાબેન ગરૈયા, રામભાઈ હેરમા, માસુબેન હેરભા, અજયભાઈ બોરીચા, મહેશભાઈ બોરીચા, વૈભવભાઈ બોરીચા, રમેશભાઈ બોરીચા, ભરતભાઈ બોરીચા, દિનેશભાઈ વાંક, રતિભાઈ ખુંગલા, વાલાભાઈ જારીયા, હર્ષદભાઈ, રામભાઈ જીલરીયા, મનીષભાઈ જારીયા તેમજ મહેશ્વરી અને મેઘવાળ સમાજના વશરામભાઈ ચાંડપા, માવજીભાઈ, નરેશભાઈ પરમાર, હીરાલાલ પરમાર, વસંતબેન બેડવા, બીપીનભાઈ રાઠોડ, રવજીભાઈ ખીમસુરીયા, અનિશભાઈ જાદવ, મંગાભાઈ લુણાગરીયા, અમુભાઇ પરમાર, જીતુભાઈ, સીમાબેન જાદવ, ખીમજીભાઈ મકવાણા, કાળુભાઈ પરમારે લાભ લીધેલ હતો. રેસકોર્ષ શિવધામ ખાતે શિવ ઉત્સવ ધર્મોત્સવ કાર્યક્રમમાં ૨૫ ફૂટના અલૌકિક રૂદ્રાક્ષ પારા સાથે શિવલીંગનું અદ્દભૂત નિર્માણ કરવામાં આવેલ છે અને વિશાળ ડોમ (સમીયાણામાં) શહેરભરના ધર્મપ્રેમી નગરજનો - ભાવિકો શિવલીંગના દર્શન કરી શકે તેવી અદ્દભૂત વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મહાઆરતી કાર્યક્રમ સંપન્ન બાદ ખ્યાતના કલાકારોની ભજન - કિર્તન તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ તથા ''ટીમ ઈન્દ્રનીલ ફોર યુ''ના સભ્યો વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, અતુલભાઈ રાજાણી, દિલીપભાઇ આસવાણી, દર્શનીબેન રાજયગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિષેકભાઈ તાળા, રાજુભાઈ જુંજા, કિશોરસિંહ જાડેજા, દિક્ષિતાબેન, ચિરાગભાઈ જસાણી, કમલેશભાઈ સાંગાણી, હેમંતભાઈ વીરડા, અમીષાબેન ડાકોરા, હર્ષદભાઈ, ઈમરાનભાઈ પરમાર, સાહીલભાઈ ચૌહાણ, એઝાઝભાઈ, કેવલભાઈ, સલીમભાઈ કારીયાણી, બશીરભાઈ શોએબભાઈ, હસુભાઈ બાંભણીયા, નિલેશભાઈ વિરાણી, અંકુર માવાણી, જીતેન્દ્રભાઈ ઠાકર સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

આ તકે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે દેવાધિદેવ મહાદેવના મહિમાનું ભકિતભાવથી શ્રવણ કરવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ. જનજીવનમાં ઉપયોગી ભોળાનાથના અનેકગુણો જેવા કે ક્ષમા આપવી, સર્વ શકિતમાન છતા સંયમી, સમાજનું ઝેર ગળે રાખવાની ક્ષમતા વગેરે ગુણોમાંથી થોડા અંશે આપના જીવનમાં આવિષ્કાર થાય તેવી ભકિત કરવી તે જ હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો મહિમા. માટે જ અલૌકિક વાતાવરણમાં પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર રૂદ્રાક્ષથી બનેલા ૨૫ ફૂટના શાસ્ત્રોકત વિધિ - વિધાનથી સ્થાપિત શિવલીંગના દર્શન મહાઆરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લા મૂકવામાં આવેલ છે. જે તા.૨૦ સુધી સવારે ૭ થી રાતના ૧૨ સુધી શહેરની ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકશે. દરરોજ સવારે ૮ વાગ્યે શહેરની અલગ અલગ શાળાના બાળકો દ્વારા આરતી રાખવામાં આવેલ છે. ત્યારબાદ દરરોજ અલગ અલગ જ્ઞાતિ યજમાનો દ્વારા અને વિદ્વાન આચાર્યો દ્વારા મહાયજ્ઞ અને સાંજે ૭:૩૦ વાગ્યે મહાઆરતી અને રાત્રે ૯ થી ૧૨ શ્રી દેવભટ્ટ જેવા નામી સીંગર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમ લોકશાહીમાં ભાઈચારાની લાગણી જળવાઈ અને દરેક સમાજ સાથે રહે તે હેતુથી કાર્યક્રમની પૂર્ણાહૂતિ દરરોજ રાષ્ટ્રગાન કર્યા પછી કરવામાં આવશે.  શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ અંતમાં જણાવ્યુ હતું કે આજે તા.૧૪ મંગળવારની સાંજની મહાઆરતીના યજમાનપદે સગર સમાજ તથા બ્રહ્મક્ષત્રિય સમાજ તેમજ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ દિવસે સાંજે રાજકોટ શહેરના નિવૃત ફોજીઓ પણ આરતીના યજમાનપદે હાજરી આપશે. સર્વ ધર્મપ્રેમી જનતાને આ શિવ ઉત્સવ કાર્યક્રમ તથા ધ્વજવંદન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

(3:41 pm IST)