Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ધોરણ-૧૦ની છાત્રા ૧૬ વર્ષની કોમલ સથવારાનું ટેન્કરની ઠોકરે ચડતાં મોત

મોરબીના શકત સનાળામાં બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૪: મોરબીના શકતસનાળાની સોળ વર્ષની ધોરણ-૧૦ની છાત્રા એકટીવા સહિત ટેન્કરની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે. શકતસનાળા રહેતી કોમલ રાજેશભાઇ પરમાર (સથવારા) (ઉ.૧૬) ગત સાંજે એકટીવા હંકારીને જતી હતી ત્યારે કંડલા બાયપાસ પર સૂરજ રેસ્ટોરન્ટ પાસે પાછળથી ટેન્કરની ટક્કર લાગતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર કોમલ બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. પોતે ધોરણ-૧૦માં ભણતી હતી. મોરબી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી છે.

(3:35 pm IST)