Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કોંગ્રેસના બહુમતી સભ્યોને ભાજપ પર વિશ્વાસ ! ટૂંક સમયમાં પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ

અરરર...કોંગ્રેસ બેહદ નબળી પડીઃ ભરત બોઘરાના કાતિલ કટાક્ષ

રાજકોટ, તા. ૧૪ :. જિલ્લા પંચાયતના કોંગ્રેસ વિરોધી ઓપરેશનના સૂત્રધાર ભાજપના જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સામે ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્દેષ કર્યો છે.

ભરત બોઘરાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, કોંગ્રેસના ચૂંટાયેલા ૩૪ સભ્યો પૈકી ૨૧ સભ્યો અમારી સાથે રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પ્રત્યે તેમને નફરત છે. કોંગ્રેસ પ્રત્યેનો તેમનો વિશ્વાસ ઉડી ગયો છે. ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ જાગ્યો છે. બહુમતી સભ્યો પાર્ટીની સામે પડીને હરીફ પક્ષની લોકશાહી પદ્ધતિમાં વિશ્વાસ વ્યકત કરે તે જ બતાવે છે કે કોંગ્રેસ કેટલી હદે નબળી પડી ગઈ છે. સમિતિઓના અધ્યક્ષોની વરણી પછી પણ કોઈ સમસ્યા નથી. પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવા માટે જરૂરી સંખ્યા બળ થઈ જશે. દરખાસ્ત મુકવાની તૈયારી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ દરખાસ્ત રજુ કરશું.

(3:22 pm IST)