Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પડધરી પાસે કોઝ-વે પરથી ૬ઠ્ઠી તારીખે કાર સાથે તણાયેલા રાજકોટના ત્રીજા યુવાનનો આજે નવમા દિવસે પડધરીના સમ્પ પાસે મૃતદેહ મળ્યો

અગાઉ આનંદનનગરના કડીયા યુવાન અને લક્ષ્મીવાડીના રાજેન્દ્રસિંહ ઉર્ફ રાજભા ઝાલાના મૃતદેહ મળી ગયા હતાં: બળભદ્રસિંહ જાડેજાનો મૃતદેહ આજે મળતાં અરેરાટી

રાજકોટઃ ગત છઠ્ઠી તારીખે પડધરી નજીક કોઝ વે પરથી ક્રેટા કાર પુરમાં તણાઇ ગઇ હતી અને સાથે અંદર બેઠેલા રાજકોટના ત્રણ યુવાનો પણ તણાઇ ગયા હતાં: બીજા દિવસે રાજકોટના આનંદનગરના કડીયા યુવાનનો મૃતદેહ મળ્યો હતોઃ તેના બે દિવસ બાદ લક્ષ્મીવાડીના દરબાર યુવાન રાજેન્દ્રસિંહ ઉર્ફ રાજભા બળવંતસિંહ ઝાલાનો મૃતદેહ મળ્યો હતોઃ ત્રીજા યુવાન લક્ષ્મીવાડીના બળવંતસિંહ ઉર્ફ બળુભા દિલુભા જાડેજાનો મૃતદેહ પડધરી સમ્પ પાસેથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છેઃ ટી-શર્ટને આધારે મૃતદેહ પરિવારજનોએ ઓળખ્યો છેઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

(4:22 pm IST)