Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અધિકારીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત

 શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થાની સાથો-સાથ કોર્પોરેશન તથા પોલીસના અધિકારીઓએ દર્શન-સ્વાગતનો લાભ લીધો હતો. પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલોત તથા તેમના ધર્મપત્ની સંધ્યાબેન, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનીધિ પાની તથા સીમાબેન પાની અને જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી દિપક ભટ્ટ તથા શ્રીમતિ મંજુબેન ભટ્ટે રથયાત્રાનું સ્વાગત દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરોકત તસ્વીરોમાં ત્રણેય અધિકારીઓ તથા નીચેની તસ્વીરોમાં રથયાત્રાના સ્વાગત માટે ઉભેલા અધિકારીઓ દેખાય છે. જયારે અંતિમ તસ્વીરમાં હનુમાનજી સાથે પોલીસ કમિશ્નરશ્રી તથા જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૧૮)

 

(4:05 pm IST)