Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

નંદનવન આરોગ્ય કેન્દ્રમાં માઁ કાર્ડ રીન્યુ કરવાનો નનૈયોઃ શાસક નેતાને ફરીયાદ

રાજકોટઃ રાજ્ય સરકારમાંથી મૉ કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાથી અનેક જરૂરીયાતમંદ દર્દીઓને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે ત્યારે મ.ન.પા.ના નંદનવન અને લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી જરૂરીયાતવાળા દર્દીઓને માઁ કાર્ડ કાઢી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છતા ત્યારે શહેરનાં વોર્ડ નં.૧માં આવેલ નંદનવન આરોગ્ય કેન્દ્રમાં રિન્યુ કરાવવા આવેલ અરજદારને નનૈયો કરતા તેઓ મ.ન.પા.નાં શાસક પક્ષના નેતા વિનુધાઇ ઘવાને ફરીયાદ કરી હતી. આ અંગે વિનુભાઇએ ત્યાં જવાબદાર અધિકારી સાથે વાત કરી યોગ્ય કરવા જણાવ્યુ હતુ.

(5:16 pm IST)