Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

કાલે બોલીવૂડ- ટેલીવૂડના કલાકારો રાજકોટમાં ટી-૨૦ ક્રિકેટ મેચ રમશે

બોકસી બોયઝ વિ.રોરીંગ રાજકોટ વચ્ચે માધવરાવ સિંધીયા ક્રિકેટના મેદાનમાં મુકાબલોઃ માય ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા આયોજનઃ ફ્રી એન્ટ્રી

રાજકોટ,તા.૧૪: માય ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે ''સેલીબ્રીટી ટી-૨૦ બેઝ'' ક્રિકેટમેચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુંબઈના બોલીવૂડ- ટેલીવૂડના કલાકારો રાજકોટમાં ક્રિકેટ મેચ રમશે.

રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટના મેદાનમાં આવતીકાલે તા.૧૫ના શનિવારે સાંજે ૬ વાગ્યાથી બોકસીબોયઝ અને રોરીંગ રાજકોટ વચ્ચે ક્રિકેટમેચ રમાશે. મુંબઈના બોલીવૂડ- ટેલીવૂડના કલાકારો જેમકે કુંવરઅમરસિંહ, વિકાસ શેઠી, રાજા હસન, કશીસ ઠાકોર, માનવ ગોહેલ, અભિષેક વર્મા, અભિષેક કપૂર, બલરાજ, દિલીપ અગ્રવાલ રાજકોટ આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે માય ઝીંદગી ફાઉન્ડેશન મેન્ટલ હેલ્થ તેમજ અવેરનેસ કેમ્પના આયોજનો કરે છે. જનજાગૃતિ અભિયાન અંતર્ગત  આવતીકાલે ટી-૨૦ ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. જેમાં બોલીવૂડ- ટેલીવૂડના કલાકારો ક્રિકેટ મેચ રમનાર છે. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

આ ક્રિકેટ મેચ નિહાળવા માટે એન્ટ્રી ફ્રી છે પણ પાસ સ્થળ ઉપરથી જ મેળવી લેવા આયોજકો વિકાસ શેઠી, જાન્વી શેઠી અને દિક્ષીતા મહેતાએ જણાવ્યું છે. વધુ વિગતો માટે મો.૭૦૨૦૨ ૩૪૨૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)