Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ચંદ્રકાંતભાઇ શેઠના નિવાસે પૂ. નમ્રમુનિ મ.સા.ની આખો દિવસ સ્થિરતાઃ ધર્મલાભ

વૈયાવચ્ચ રત્ન રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સીએમ.શેઠ પોષધશાળાના પ્રમુખ તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠના ' અર્હમ પેલેસ' નિવાસ સ્થાને ગો.સં.ના ગુજરાત રત્ન પૂ. ગુુરૂદેવ સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમમ્રુનિ મ.સા. આદિઠાણા-૬ તથા સાધ્વીરત્ના પૂ. વીરમતીબાઇ મ.સ., નુતન
દિક્ષિત પૂ. મહાસતીજી સહિત વિશાળ સતિવૃંદ આખો દિવસ સ્થિરતા કરી શેઠ પરિવારને ધર્મથી ભાવિત કરી દીધા હતા. અ.સૌ. સરયુબેન શેઠની ધર્મ ભાવનાને રાષ્ટ્રસંત પૂ.  ગુરૂદેવ નમ્રમુનિ મ. સાહેબે સાધુવાદ પાઠવતા કહયું કે શ્રાવિકાનો સાથ સહકાર હોય તો જ ચંદ્રકાંતભાઇ શેઠ ચતુવિર્ધ સંઘની સેવા-વૈયાવચ્ચ કરી શકે. રૂષભભાઇ શેઠને પિતાનો અમુલ્ય વારસો જાળવી રાખવા બોધ આપેલ. સી.એમ.શેઠના નિવાસ સ્થાને મેયર જૈમનભાઇ ઉપાધ્યાય સહિત શહેરના જૈન શ્રેષ્ઠીઓએ દર્શન-વંદનનો લાભ લીધેલ તેમ શેઠ પરિવારની યાદીમાં જણાવાયું છે. (૪૦.૧૧)

(4:31 pm IST)