Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દુરદર્શન પર આજે સાંજે એનડીએ સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન

રાજકોટ : દુરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા તાજેતરમાં મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ગુજરાત રાજય ચેરમેન ધનસુખ ભંડેરના વિશેષ કાર્યક્રમનું રેકોર્ડીંગ કરાયુ હતુ. ભારત સરકારની વિકાસલક્ષી યોજનાઓ વિષે શ્રી ભંડેરીએ વિગતે વાત કરી હતી. પ્રારંભમાં કાર્યાલય અધ્યક્ષ અનિલાબેન શાહ, કાર્યક્રમ અધ્યક્ષ ચેતન શાહે ધનસુખભાઇ ભંડેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમ દુરદર્શન કેન્દ્ર રાજકોટ ઉપર આજે તા. ૧૪ ના સાંજે પ વાગ્યે અને દુરદર્શન કેન્દ્ર અમદાવાદ (ડીડી ગીરનાર) ઉપર તા. ૧૬ ના શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે પ્રસારીત થશે. કાર્યક્રમ નિર્માણ આસીફ ઠેબાએ કરેલ છે.

(4:16 pm IST)