Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દાઉદી વ્હોરા સમાજના રમજાન માસ પુર્ણઃ ઇદની ભવ્ય ઉજવણી

ડો. સૈયદના સાહેબે મુંબઇમાં બદરી મસ્જીદમાં નમાઝ અદા કરી

 રાજકોટઃ પવિત્ર રમજાન માસ પુર્ણ થતા આજે વિશ્વભરમાં દાઉદીવ્હોરા સમાજ દ્વારા ઇદ ઉલ ફીતરની ઉજવણી થઇ હતી. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલી કદર મુફદુલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) મુંબઇ ખાતે બદરી મસ્જીદમા ઇદની નમાજ પઢાવેલ હતી. પવિત્ર રમજાન માયમા ઇબાદત, રોજા કરીને ખુદાતાઆલા પાસે દુઆ ઓ કરેલ હતી. રાજકોટ શહરેમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઇ સાહેબે ઇદની નમાજ પઢાવેલ હતી. તેમજ સૌરાષ્ટ્રમા જામનગર, મોરબી, ભાવનગર, મહુવા, જસદણ, ગારીયાધાર, પોરબંદર, જુનાગઢ, ધોરાજી, પાલીતાણા, ઉપલેટા લી. વિશ્વભરમાં દરેક ગામમાં ઇદની નમાજ પઢીને એક બીજાને ઇદની મુબારક બાદીની આપલે કરેલ હતી. તેથી શેખ યુશુફભાઇ જોહરકાર્ડ વાલાએ જાણવ્યુ હતું. (૪૦.૨)

(11:59 am IST)