Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

વોર્ડ નં. ૧૬,૧૭,૧૮માં સેવાસેતુ સંપન્‍ન : લોકો ઉમટી પડયા

મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં લોકો માટે સરકારની યોજનાના લાભ માટે કાર્યક્રમનું આયોજન કરાય છે

રાજકોટ,તાફ ૧૪ : પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.
જેના અનુસંધાને આજે તા.૧૪, શનિવારના રોજ સવારે ૯ કલાકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણ પ્રાથમિક શાળા નં.૬૩ દેવપરા શાકમાર્કેટ પાછળ કોઠારીયા રોડ ખાતે વોર્ડનં. ૧૬, ૧૭, અને ૧૮ના નાગરિકો માટે ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્‍ય ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ સહિતના ઉપસ્‍થિત સૌ મહાનુભાવોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ.
આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, નાયબ મ્‍યુનિ. કમિશનર એ.આર.સિંહ, ચેતન નંદાણી, વોર્ડ નં. ૧૬, ૧૭, ૧૮ના કોર્પોરેટરો રવજીભાઈ મકવાણા, નરેન્‍દ્રભાઈ ડવ, રુચીતાબેન જોષી, કંચનબેન સિદ્ધપુરા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, સંજયભાઈ ગાજીપરા તેમજ વોર્ડના સંગઠનના હોદ્દેદારો, લાભાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ.
આ પ્રસંગે મ્‍યુનિ. કમિશનરે ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કરેલ તેમજ સેવાસેતુમાં આવરી લેવાયેલ ૫૭ જેટલી સેવાઓની વિગતો આપેલ હતી. ત્‍યારબાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મ્‍યુનિ. કમિશનરે કાર્યક્રમના ઉદઘાટક ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ તેમજ વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર રવજીભાઈ મકવાણાએ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોને પુસ્‍તક અર્પણ કરી સ્‍વાગત કરેલ.
ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનાહસ્‍તે ટોકનરૂપે પી.એમ.સ્‍વનિધિ લોનના મંજૂરી પત્રો, આયુષ્‍માન કાર્ડ વિગેરે લાભાર્થીઓને આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર અને શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવાએ આભાર વિધિ કરેલ હતી.

 

(4:11 pm IST)