Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

આમ આદમી પાર્ટીના સવાલોથી મુખ્‍યમંત્રીને ડર, એટલે મળ્‍યા જ નહીઃ ઇન્‍દ્રનીલ રાજયગુરૂ

રાજકોટઃ તા. ૧૪ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્‍યા હતા ત્‍યારે તેમતે જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી.ઉપરાંત કોંગ્રેસના આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી ત્‍યારે ‘આપ' ના આગેવાનો દ્વારા પણ (CM) ભુપેન્‍દ્રભાઇ પટેલ સાથે બેઠક કરવા માટે સમય માંગવામાં આવ્‍યો હતો. પરંતુ (CM) ભુપેન્‍દ્રભાઇ પટેલ ‘આપ'ના આગેવાનોને મળ્‍યા ન હતા. શું ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે? તેવા સવાલો ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ ઉઠાવ્‍યા છે.
મુખ્‍યમંત્રી રાજકોટના દરેક કોર્પોરેટરોને મળ્‍યા એમાંથી કોર્પોરેટર વશરામભાઇ અને કોમલબેનને બાકાત રાખવામાં આવ્‍યા હતા.સવારથી વશરામભાઇને પોલીસ દ્વારા તેમના ઘરે  નજરકેદ કરવામાં આવ્‍યા. સાંજે સીએમ સાથે મેળવશુ એવી વાત કરીને કલેકટર ઓફિસે બોલાવવામાં આવ્‍યા અને મુખ્‍યમંત્રી કોર્પોરેટરને મળ્‍યા વગર જતા રહ્યા.
આમ આદમી પાર્ટી કાયમી હંમેશા લોકો માટે,  લોકોના પ્રશ્નો માટે લડતી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના પ્રશ્નોના જવાબ ખુદ મુખ્‍યમંત્રી આપી શકે એમ નથી ત્‍યારે સ્‍વભાવિક છે મુખ્‍યમંત્રી ન જ મળે અને તેમણે એમ જ કર્યુ. તેમ આક્રોશ વ્‍યકત કરતા ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂએ અંતમા જણાવેલ છે.

 

(4:04 pm IST)