Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રેલનગર આવાસના કવાર્ટરમાં કપડા ધોતી વખતે કરંટ લાગતા આરઝુ વરીયાનું મોત

 

રાજકોટ તા. ૧૪ : શહેરના રેલનગર આવાસ યોજનાના કવાર્ટરમાં વોશીંગ મશીનમાં કપડા ધોતી વખતે કરંટ લાગતા સગીરાનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. મળતી વિગત મુજબ રેલનગર છત્રપતિ શીવાજી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી આરઝુ ગનીભાઇ વરીયા (ઉ.૧૫) ગઇકાલે પોતાના ઘરે વોશીંગ મશીનમાં કપડા ધોતી હતી ત્‍યારે તેને અચાનક કરંટ લાગતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. મૃતક આરઝુ ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)