Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પૂર્વ કોર્પોરેટર રસિકભાઇ પટેલ દ્વારા પટેલ વિહાર મેડીકેર (કોવિડ)નો પ્રારંભ

નિષ્ણાંત તબીબો અને આધુનિક સુવિધા સાથે ર૦ બેડ

રાજકોટ, તા. ૧૪ :  ભૂતપૂર્વ કોર્પોરેટર હેઠળ કુવાડવા રોડ પર શ્રી રણછોડદાસજી આશ્રમ પાસે, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં (મો. ૯૮૯૮પ ૯૩૬૬૯) પટેલ વિહાર મેડીકેર નામથી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જયાં કોરોનાના દર્દીઓને વ્યાજબી દરે સારવાર મળી શકશે.

રસિકભાઇ પટેલ (મો.૯૯૦૯૦ ૧પ૯૧પ) ના જણાવ્યા મુજબ પટેલ વિહાર મેડીકેરમાં ઓકિસજન સાથે ર૦ બેડની વ્યવસ્થા છે. ર૪ કલાક ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. નિષ્ણાંત ડોકટરોની ટીમ સાથે આઇ.સી.યુ. વેન્ટીલેટર લેબોરેટરી વગેરે સુવિધા મળી શકશે. કોરોના પછીની સારવાર માટે પણ સુવિધા છે.

(3:02 pm IST)