Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કાલે ૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ વિન્ટેજ કારમાં રજવાડી સામૈયા નિકળશે

કરીયાવરમાં ૧૧૧ વસ્તુઓ અપાશેઃ ઉદયેશ્વર સોમનાથ સેવા સમિતિ દ્વારા આયોજન

રાજકોટ,તા.૧૪: ઊદેશ્વર સોમનાથ સેવા સમિતિ રાજકોટ (ઉદયનગર-૨, શ્રીનાથજી-૫, મવડી મેઈન રોડ) દ્વારા તૃતિય સમુહલગ્નનું આયોજન આવતીકાલે તા.૧૫ને બુધવારના રોજ કરાયું છે. આ સમુહલગ્નમાં ૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમુહલગ્નમાં ટીવી, ફ્રીઝ, સેટીપલંગ, ઘરઘંટી, કબાટ તેમજ સોના- ચાંદીની આઈટમો સહીત કુલ ૧૧૧ વસ્તુઓ દીકરીઓને કરીયાવર પેટે આપવામાં આવશે.  વરરાજાઓના સામૈયા (રજવાડી) વિન્ટેજ કારમાં નિકળશે.

આ યોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ બસીયા, વિજયભાઈ સબાડ, લાલાભાઈ વાંક, લાલાભાઈ ગોહિલ, યોગેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ માવલા, જગદીશભાઈ જોટાંણીયા, સાગર વાંક, નરેશભાઈ દાવળીયા, મુન્નાભાઈ ધોબી, મેરામભાઈ બોરીચા, મુકેશભાઈ બોરીચા, કમલેશભાઈ પટેલ, નાથાભાઈ કુંભારવડીયા, ધર્મેન્દ્ર ખેરડીયા, ભીમભાઈ વિરડા તેમજ સર્વે કાર્યકતાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:19 pm IST)