Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૪ : હત્યાના પ્રયાસના ગુન્હામાં ભાવેશ લોખીલ તથા સાગ્રીતોનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે ગત તા. રર-૪-ર૦૧૮ના રોજ સંતકબીર રોડ પાસે રહેતા શૈલેષભાઇ રૈયાણીએ ભાવેશ ઘુસાભાઇ લોખીલ તેમજ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૩૦૭, રર૪, ૩રપ, ૩ર૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩પર, ૧ર૦(બી) તથા જી.પી.એકટની કલમ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

જયારે બીજી બાજુ ઉપરોકત બનાવમાં ભાવેશ લોખીલ તથા અન્ય બીજાઓને પણ ઇજા થયેલ હોય ભાવેશ લોખીલ એ પણ રૈયાણી પરિવાર ઉપર આઇ.પી.સી.ની કલમ ૩ર૪ વિગેરે મુજબની વળતી ફરીયાદ નોંધાવેલ છે.

ઉપરોકત બાબતે આરોપીઓ એ તેમના વકીલશ્રી સંજય એચ. પંડિત તથા પી.એમ. જાડેજા મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે જામીન અરજીની સુનવણી થતા આરોપીના વકીલની દલીલો અને રજૂ રાખેલ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી એચ.એ. બ્રહ્મભટ્ટે આરોપીઓને જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામે આરોપીઓ વતી એડવોકેટ સંજય એચ. પંડિત તથા પી.એમ. જાડેજા વિગેરે રોકાયેલ હતાં.

(4:17 pm IST)