Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત યુવા ભાજપ દ્વારા જનજાગૃતિ રેલી

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા આરંભાયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વીજ પટેલ, કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, ડો. જૈમન ઉપાધ્યાય, નેહલ શુકલ, દેવાંગ માંકડ, ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, ડો. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય લાખાભા સાગઠીયા, પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, ગૌતમ ગોસ્વામી, સતીષ શીંગાળાની ઉપસ્થિતીમાં વિધાનસભા ૬૯ ના વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના જનજાગૃતિ રેલી યોજાઇ હતી. કમલેશ મિરાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ આ રેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસેથી જિ.પં. ચોક, યાજ્ઞીકરોડ, સરદારનગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, કોટેચા ચોક, યુનિ. રોડ, આકાશવાણી ચોક, પુષ્કરધામ થઇ ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પાસે સમાપન થયેલ. આ રેલીને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાના નેતૃત્વમાં અમિત બોરીચા, હિતેશ મારૂ, સતીષ ગમારા, સર્વેશ્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, પૂર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, હીરેન રાવલ, આનંદ જાવીયા, મીત મહેતા, રવિ ડાંગર, સુનીલ માકાસણા, જયેશ લાઠીયા, પ્રિતેશ પોપટ, અર્જુન ઠાકુર, સુનિલ ગોહેલ, જયરાજસિંહ જાડેજા તેમજ વોર્ડની યુવા ભાજપ ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:16 pm IST)