Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

શહેર ભાજપ દ્વારા ડો. આંબેડકરજીને પુષ્પાંજલિ

હાલ દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ હોય કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આદેશોનુસાર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અતિ આવશ્યક હોય તેને ઘ્યાનમાં રાખીને દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની  જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ શહેરના તમામ બુથમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ  જાળવીને ડો. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલી અર્પણ કરવામા  આવેલ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ,  મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી,  બીનાબેન આચાર્ય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, યુવા મોરચાના પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, કાર્યાલય મંત્રી હરેશ જોષી,  પી.નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)