Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

હીંગળાજનગર ખાલી કરાવવા અંગે ભાજપ સામે તપાસ જરૂરીઃ કોંગ્રેસ

રાજકોટ, તા., ૧૪: શહેરનાં અમીનમાર્ગ ઉપર આવેલ હીંગળાજ નગરમાં પીપીપી આવાસ યોજનાં સામે રહેવાસીઓમાં વિરોધ  ઉઠયો છે. છતાં કયાં મકાનો ખાલી કરાવવાની પ્રવૃતિ ભાજપના કોર્પોરેટર કરી રહયાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે અને આ બાબતે તપાસ માંગી છે.  આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે હીંગળાજનગરમાં છેલ્લા પ૦ વર્ષથી લોકો વસવાટ કરે છે અને પીપીપી આવાસ યોજનાના નામે આ વર્ષો જુના ઝુંપડપટ્ટી ખાલી કરાવવાનું કારસ્તાન છે કેમ કે આ જમ્પા ખાનગી માલીકીની હોવાનું ચર્ચાય છે. છતાં કોર્પોરેશનનો સ્ટાફ જગ્યા ખાલી કરાવવા-બિલ્ડર સાથે રહે છે. આ બાબતો એ તપાસ હાથ ધરવા શ્રી સાગઠીયાએ માંગ ઉઠાવી છે. (૪.૨૦)

(4:05 pm IST)