Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

થોરાળાના ક્રિષ્ના પાર્કમાં ધો-૯ના છાત્ર પ્રકાશ બથવારનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૪: થોરાળામાં માધુભાઇ બાબરીયાની વાડીની બાજુમાં આવેલા ક્રિષ્ના પાર્ક-૧માં રહેતાં ધોરણ-૯ના દલિત છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ક્રિષ્ના પાર્કમાં પ્રકાશ દાનાભાઇ બથવાર (ઉ.૧૫)એ ઉપરના રૂમમાં પંખામાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી ધીરૂભાઇ આહિરની તપાસમાં પ્રકાશનું મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. ગઢવી, રાઇટર આનંદભાઇ અને નારણભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર પ્રકાશ બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાનો હતો. તેના પિતા દાનાભાઇ કડીયા કામ કરે છે. ગત સાંજે માતા-પિતા બહાર હતાં અને બહેન  તેના રૂમમાં હતી ત્યારે પ્રકાશે આ પગલુ ભરી લીધુ હતું. તે ધોરણ-૯માં નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તે મગજનો થોડો ગરમ હતો. લાડકવાયાના મોતથી માતા-પિતા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. દફનવિધી માટે મૃતદેહ ચોટીલા નજીકના હોજપરી ગામે તેના વતન લઇ જવાયો હતો.

(12:14 pm IST)