Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટથી ચૂંટણી લડે તો સોનામાં સુગંધ ભળેઃ સૌની એક લાગણી

તમામ કાર્યકરોએ હકારાત્‍મક-શાંતિપૂર્વક રજૂઆતો કર્યાનો નિરીક્ષકો-પ્રવકતા-શહેર પ્રમુખનો દાવો

રાજકોટ : રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ સેન્‍સ પ્રક્રિયા આજે હાથ ધરી હતી. ત્‍યારે રાજકોટની બેઠક ઉપરથી નરેન્‍દ્રભાઇ મોદી ચૂંટણી લડે તો સોનામાં સુગંધ ભળે તેવી લાગણી દરેક કાર્યકર્તાઓએ વ્‍યકત કર્યાનું નિરીક્ષકોએ જણાવેલ. સેન્‍સ પ્રક્રિયા શાંતી અને સુમેળ ભર્યા વાતાવરણમાં હકારાત્‍મક રીતે સંપન્‍ન થયાનું ભાજપ પ્રવકતા રાજૂભાઇ ધ્રુવ ત્‍થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવેલ હતું.

આ તકે રાજકોટ લોકસભા સીટના નિરીક્ષક અને લોકસભા સીટના પ્રભારી નરહરીભાઇ અમીને જણાવ્‍યું હતું કે નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકારે અનેક લોકહીતકારી અને લોકકલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મુકી દેશનો સર્વાગિ વિકાસ કર્યો છે ત્‍યારે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ભૂમિકા ભજવી ‘વિકાસ'નું સમર્થન કરી ભાજપના ‘સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને સાર્થક કરવામાં સહયોગ આપશે તે નિヘતિ છે. તેમજ નીરીક્ષક બાબુભાઇ જેબલીયા તેમજ જયાબેન ઠકકરે પણ કાર્યકતાઓને માર્ગદર્શન આપ્‍યુ હતું.

(4:32 pm IST)