Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

માંડા ડુંગર નજીક ટ્રક પાછળ ટ્રક અથડાતાં મુકેશભાઇ કુબાવતનું મોત

નવલનગરના બાવાજી પ્રોૈઢને ગઇકાલે ઇજા થતાં સિવિલમાં, ખાનગીમાં સારવાર લઇ છેલ્લે અમદાવાદ જતી વખતે રસ્તામાં બેભાન થયાઃ સિવિલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૪: નવલનગર-૬માં રહેતાં મુકેશભાઇ મનસુખભાઇ કુબાવત (ઉ.૫૪) નામના બાવાજી પ્રોૈઢ ગઇકાલે સવારે પોતાનો ટ્રક હંકારી માંડા ડુંગર તરફ જઇ રહ્યા હતાં ત્યારે આગળ જતા ટ્રક પાછળ ટ્રક અથડાયા બાદ તેમને ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું મોત નિપજ્યું છે.

મુકેશભાઇને માથામાં હેમરેજ થયાનું નિદાન થતાં સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ફરી સિવિલમાં અને અહિથી અમદાવાદ રિફર થતી વખતે લીંબડી પાસે બેભાન થઇ જતાં ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ મોત નિપજતાં તબિબે રિટ્રોગેટ એમએલસી જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર મુકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી બાવાજી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જંગલેશ્વરના મનિષાબેન છૈયાનું બેભાન હાલતમાં મોત

જંગલેશ્વર મેઇન રોડ પર રાધેક્રિષ્ના સોસાયટી-૯માં રહેતાં મનિષાબેન અભયભાઇ છૈયા (ઉ.૩૭) નામના આહિર મહિલાને પેરેલિસિસ અને કમળાની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગરમાં જાણ કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(5:24 pm IST)