Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વીજ ઇજનેરોનો ગાંધીનગરમાં મોરચો સત્યાગ્રહઃ ધરણાઃ ૨૦મીએ હડતાલ

૫૫૦ ઇજનેરોએ રજા મૂકી દીધીઃ તમામનો પગાર કાપી લેવા આદેશો

રાજકોટ તા. ૧૪ : જીઇબીમાં કામ કરતા ઇજનેરોની માંગ મુદ્દે કોઇ ઉકેલ ન આવતા આજે સવારથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજકોટના સવાસો સહિત સમગ્ર ગુજરાતના સંખ્યાબંધ ઇજનેરો આ કાર્યક્રમમાં ભાગ લઇ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.

જીબીઆના કો-સેક્રેટરી જે.યુ.ભટ્ટે વિગત આપતા જણાવ્યું હતું કે, તમામ ઇજનેરો પોતપોતાના વાહનો પર ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં 'વીથ યુનિફોર્મ' ધરણાનો કાર્યક્રમ યોજાશે. આ માટે તમામ ઇજનેરોએ માસ સી.એલ. મૂકી છે. દરમિયાન ૨૦મીએ હડતાલનું એલાન અપાયું છે, અને તે સંદર્ભે ૫૫૦૦ ઇજનેરોએ રજા મૂકી દીધી છે, બીજી બાજુ રજા મૂકનાર તમામ ઇજનેરોનો પગાર કાપી લેવા આદેશો થયા છે.(૨૧.૧૩)

(1:15 pm IST)