Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સંઘાણી સંઘનું સ્વામિ વાત્સલ્ય યોજાયુ : લાઠીયા પરિવારે લાભ લીધો

રાજકોટ : શ્રી સંઘાણી સંઘ દ્વારા તા.૯ ને રવિવારે રોજ શ્રી મંગલમ-અભિષેક હોલ કોઠારીયા નાકા ખાતે ભવ્ય સ્વામિ વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરેલ. સ્વામિ વાત્સલ્યના સંઘપતી બનવાનો લાભ સ્વ. જયવંતભાઈ ભાઈલાલભાઈ લાઠીયાની પ્રથમ પૂણ્યતિથી નિમિતે લાઠીયા પરિવાર દ્વારા લેવામાં આવેલ. સંઘપતિ શ્રી લાઠીયા પરિવારના સંજયભાઈ એ ચેતનભાઈ સંઘાણી પાસે પોતાના ભાવ વ્યકત કરેલ. આયોજન સફળ બનાવવા શ્રી નૂતન સેવા મંડળ - શ્રી નૂતન જય વિજય પરિવાર સભ્ય ભાઈ-બહેનો, લાઠીયા પરિવારના સ્નેહીઓ, મિત્રો તથા વેસ્ટર્ન કેટરર્સના ચંદ્રેશભાઈ મહેતા, હિમાંશુભાઈ મહેતાની શ્રી સંઘાણી સંઘે અનુમોદની કરેલ.

(3:41 pm IST)