Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળજીને પુષ્પાંજલી

રાજકોટઃ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિતે જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડી. કે. સખીયા તથા જીલ્લા મહામંત્રી ભનુભાઇ મેતાના અધ્યક્ષસ્થાને જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ તથા વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અને વિરાણી બહેરા-મૂંગા શાળાના બાળકોને ભોજન કરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે જીલ્લા અધ્યક્ષશ્રી ડી. કે. સખીયા અને મહામંત્રી ભાનુભાઇ મેતાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં જીલ્લા અધ્યક્ષશ્રી ડી. કે. સખીયા, જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, જીલ્લા ઉપપ્રમુખ મનસુખભાઇ રામાણી, જીલ્લા મંત્રીશ્રીઓ વિનુભાઇ પરમાર તથા સતીશભાઇ ભીમજીયાણી, તાલુકા વલ્લભભાઇ સેખલિયા, પૂર્વ મહામંત્રી ચંદુભાઇ શિંગાળા, ડી. કે. બલદાણીયા, હિરેનભાઇ જોશી, નીલેશભાઇ દોશી, અરુણભાઇ નિર્મળ, રજનીભાઇ સખીયા, મનોજભાઇ અકબરી, દીપકભાઇ મદલાણી, રીતેશભાઇ પરસાણા, મોહિતભાઇ ધ્રુવ, નિશિતાબેન ગોંડલીયા, દિનેશભાઇ વિરડા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા, મયુરસિંહ જાડેજા, હરેશભાઇ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)