Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

એક મુઠ્ઠી અનાજ યોજનાઃ એ.એચ.પી દ્વારા ડો.તોગડિયાના હસ્તે વિતરણ

રાજકોટ,તા.૧૪: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને ઓજસ્વીની દ્વારા રાજકોટ શહેરમાં જરૂરીયાતમંદ લોકો માટે ખીચડી અને ધાબળાનું વિતરણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાજીનાં હસ્તે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરનાં કાર્યકરો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં અધ્યક્ષ છગનભાઈ પટોળિયા, કાર્યકારી અધ્યક્ષ ચંદુભાઈ સોની, રાષ્ટ્રીય બજરંગ દળનાં અધ્યક્ષ દિલીપભાઈ સોલંકી, કરણભાઈ હેરમા, દાનાભાઈ આહિર, મનોજભાઈ પરમાર, રાજભા પઢારીયા, રાજુભાઈ સોલંકી ઓજસ્વીનીનાં દિવ્યાબેન ટાંક, હિનાબેન રાતોજા, પરેશભાઈ રૂપારેલીયા ,મનસુખભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ રાજકોટ મહાનગરની ટીમ તથા જયંતિભાઈ પટેલની આગેવાની હેઠળ કાર્ય કરતા રહીશુ અને જરૂરીયાત મંદોને દર મહિને સેવા કરતા અમો હર્ષની લાગણી અનુભવીશું તેમ જણાવાયું છે.

રાજકોટના સંત કબીર રોડ વિસ્તારમાં ડો.પ્રવીણભાઈ તોગડિયાના હસ્તે સ્થાનિક આગેવાનોની હાજરીમાં અનાજ વિતરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

(3:32 pm IST)